prem
જન્મથી લઈને મૃત્યુપર્યંત માનવ જીવનમાં સતત ધબકતું એક તત્ત્વ જોવા મળે છે, તે છે શ્વાસ. અને, તેવું જ એક બીજું સતત ધબકતું તત્વ જોવા મળે છે, તે છે પ્રેમ. બાળપણમાં આપણા મા-બાપને આપણે પ્રેમ કરીએ છીએ. થોડા મોટા થઈને ભાઈ-બહેન, મિત્રો, પાડોશીઓને આપણે પ્રેમપાત્ર બનાવીએ છીએ. યુવાવસ્થામાં કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ આપણા એ પ્રેમને પામે છે. થોડા વધારે …મોટા થઈને આપણે આપણાં બાળકોને, આશ્રિતોને પ્રેમ કરતા થઈએ છીએ. અને, જીવન સંધ્યાએ પહોંચતા પહોંચતા આપણો એ પ્રેમ પરમાત્મા તરફ ઢળવા લાગે છે. જીવનયાત્રામાં પ્રેમપાત્રો બદલાતા રહે છે પરંતુ પ્રેમનું ઝરણું સતત – અવિરત વહેતું રહે છે. પ્રેમ સૌભાગ્ય છે. પ્રેમનું ફૂલ ક્યારેય કરમાતું નથી. પ્રેમના માર્ગે વહેતું જીવન આનંદના ઝરણા જેવું હોય છે…. – સુરેશ ગણાત્રા
Posted on મે 12, 2011, in Uncategorized. Bookmark the permalink. Leave a Comment.
Leave a Comment
Comments (0)