prem
જન્મથી લઈને મૃત્યુપર્યંત માનવ જીવનમાં સતત ધબકતું એક તત્ત્વ જોવા મળે છે, તે છે શ્વાસ. અને, તેવું જ એક બીજું સતત ધબકતું તત્વ જોવા મળે છે, તે છે પ્રેમ. બાળપણમાં આપણા મા-બાપને આપણે પ્રેમ કરીએ છીએ. થોડા મોટા થઈને ભાઈ-બહેન, મિત્રો, પાડોશીઓને આપણે પ્રેમપાત્ર બનાવીએ છીએ. યુવાવસ્થામાં કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ આપણા એ પ્રેમને પામે છે. થોડા વધારે …મોટા થઈને આપણે આપણાં બાળકોને, આશ્રિતોને પ્રેમ કરતા થઈએ છીએ. અને, જીવન સંધ્યાએ પહોંચતા પહોંચતા આપણો એ પ્રેમ પરમાત્મા તરફ ઢળવા લાગે છે. જીવનયાત્રામાં પ્રેમપાત્રો બદલાતા રહે છે પરંતુ પ્રેમનું ઝરણું સતત – અવિરત વહેતું રહે છે. પ્રેમ સૌભાગ્ય છે. પ્રેમનું ફૂલ ક્યારેય કરમાતું નથી. પ્રેમના માર્ગે વહેતું જીવન આનંદના ઝરણા જેવું હોય છે…. – સુરેશ ગણાત્રા
સા એટલે સાક્ષાત દ એટલે દર્શન માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ
સા એટલે સાક્ષાત
દ એટલે દર્શન માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ શ્રાવણી ઉર્ફે ઈંદિરાબેટીજી જેઓ પ્રખ્યાત પુષ્ટિમાર્ગીય પ્રવચનકર્તા છે. તેઓ શ્રીનાથજી સુદર ભજનો પણ રચે છે
સા એટલે સાક્ષાત
દ એટલે દર્શન માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ શ્રાવણી ઉર્ફે ઈંદિરાબેટીજી જેઓ પ્રખ્યાત પુષ્ટિમાર્ગીય પ્રવચનકર્તા છે. તેઓ શ્રીનાથજી સુદર ભજનો પણ રચે છે